શ્રીકૃષ્ણની દિવ્ય કૃપાથી જીવનમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને નવી ઊર્જાના મંગલ સંચાર માટે સેલિબ્રિટી ટેરોટ રીડર પુનિતજી લુલ્લાનું વિશેષ આહ્વાન
જન્માષ્ટમીનો પાવન ઉત્સવ માત્ર ભક્તિ અને ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ જીવનમાં સકારાત્મક વિચારો, આત્મમંથન અને આધ્યાત્મિક ઊર્જાને આમંત્રિત કરવાનો એક ઉત્કૃષ્ટ અવસર છે. આ શુભ પ્રસંગે 18થી વધુ વર્ષોનો વિશાળ અનુભવ ધરાવતા ઈન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ કાર્ડ રીડર પુનિતજી લુલ્લાએ જીવનમાં નવી દિશા અને સમૃદ્ધિ મેળવવા માટે ટેરોટ ગાઈડન્સ અને મેનિફેસ્ટેશનની ખાસ ટિપ્સ રજૂ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટેરોટ કાર્ડ્સ ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાન ઊર્જા, માનસિક સ્થિતિ અને યોગ્ય માર્ગદર્શન મેળવવાનું એક ઉત્તમ સાધન છે. જન્માષ્ટમી દરમિયાન આપણે જૂના ભય અને નકારાત્મકતાને છોડીને નવી તકો, પ્રેમ અને આત્મવિશ્વાસને ખુલ્લા મનથી સ્વીકારવા જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણના સંદેશ અને દિવ્ય ઊર્જાને જીવનમાં ઉતારવા માટે પુનિતજી લુલ્લાએ ખાસ મેનિફેસ્ટેશન ટેકનીક્સ દર્શાવી છે, જેમાં મોરપીંછ સામે બેસીને લક્ષ્ય નિર્ધારિત કરવું, 3-મિનિટનું કૃષ્ણ મેડિટેશન, કૃતજ્ઞતા દર્શાવતા સમૃદ્ધિના એફર્મેશન્સ લખવા અને સંબંધોમાં મધુરતા લાવવા માટે પોતે પહેલું પગલું ભરવાનો સંકલ્પ શામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સાચું મેનિફેસ્ટેશન માત્ર માંગવાથી નહીં પણ ‘સંકલ્પ, શ્રદ્ધા અને કર્મ’ના ત્રિવેણી સંગમથી પ્રાપ્ત થાય છે. શ્રીકૃષ્ણના કર્મયોગના સિદ્ધાંતને યાદ અપાવતા તેમણે અંતમાં સંદેશ આપ્યો છે કે ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પોતાની આંતરિક ઊર્જા પર કામ કરવું અને પરિણામની ચિંતા કર્યા વિના સતત યોગ્ય કર્મ કરતા રહેવું એ જ સફળતાની સાચી ચાવી છે.

More Stories
મહિલા એથનિક ફેશનમાં ઉત્કૃષ્ટતા માટે રુંગને ક્વોલિટી માર્ક એવોર્ડ 2026 એનાયત
સેમસંગ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરે છે, સેમસંગ દોસ્ત કૌશલ્ય વિકાસ કાર્યક્રમના 30 ટોચના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરે છે
ગેટ સેટ ગો ફિલ્મની ચિરંજીવી ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે, મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમ જે રાહતનું કાર્ય કરી રહી છે તેના માટે બિરદાવ્યા