June 14, 2025

સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી

જૂન XX, 2025 – અગ્રણી ફ્રૅન્ચ ફાર્માસ્યુટિકલ સર્વિયર ગ્રુપની સબસિડિયરી સર્વિયર ઈન્ડિયાએ આઈસોસાઈટ્રેટ ડીહાઈડ્રોજેનેસીયા-1 (આઈડીએચ1) મ્યુટેશન સાથેના ઍક્યુટ માયોલોઈડ લ્યુકેમિયા (એએમએલ) અને કોલેંગિયોકારસિનોમા ધરાવતા કેન્સરના દરદીઓમાં કેન્સરના વ્યવસ્થાપન માટે મંજૂરી પ્રાપ્ત ઑરલ ટાર્ગેટેડ થૅરેપી ઈવોસાઈડેનિબ (ટિબસોવો®)ના લૉન્ચની જાહેરાત કરી હતી. સર્વિયર ઈન્ડિયાને 14મી મે, 2025ના રોજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રૉલ ઑર્ગેનાઈઝેશન પાસેથી (સીડીએસસીઓ) આ દવાની આયાત, વેચાણ અને વિતરણ માટે મંજૂરી પ્રાપ્ત થઈ હતી. 

ઍક્યુટ માયોલોઈડ લ્યુકેમિયા પડકારજનક હીમેટોલૉજિકલ મેલિગ્નન્સી છે. અભ્યાસથી નિર્દેશિત થાય છે કે, ભારતમાં એએમએલના આશરે માત્ર 30-40 ટકા દરદીઓને જ પૂરતી સારવાર[1] મળે છે, સાથે જ બીમારી ઝડપથી ફેલાતી હોવાથી અને ચેપના કારણે મૃત્યુદર ખાસ્સો ઊંચો છે. કોલેંગિયોકારસિનોમા (સીસીએ) અત્યંત વિરલ પ્રકારના ટ્યુમર છે, જે પિત્ત નળીમાંથી (બાઈલ ડક્ટ) ઉદભવે છે. આ ટ્યુમરના લક્ષણો અસ્પષ્ટ હોવાથી તેનું નિદાન એવા સમયે થાય છે જ્યારે બીમારી અત્યંત આગળના તબક્કામાં પહોંચી ગઈ હોય છે.2

ભારતમાં અતિ વિરલ અને જેની સારવાર કરવાનું અત્યંત મુશ્કેલ ગણાય છે એવા કેન્સરના વ્યવસ્થાપનમાં આ જાહેરાત નોંધપાત્ર પ્રગતિની નોંધ કરે છે, જેનાથી અત્યાર સુધી જે તબીબી જરૂરિયાતને હાથ ધરવામાં આવી નથી, એ દિશામાં આગળ વધવાનું થયું છે.

આ પ્રસંગે વાત કરતા સર્વિયર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. ઓરેલિયાં બ્રેટને જણાવ્યું હતું કે , “અમારૂં ધ્યાન નાવિન્ય, જેમને સૌથી વધુ જરૂર છે, એવા દર્દીઓને સૂક્ષ્મ ચોકસાઈ ધરાવતી દવાઓની જરૂર છે તેમને અદ્યતન ઑન્કોલૉજી સંભાળ પૂરી પાડવા પર કેન્દ્રિત છે. તેમની પહોંચને પ્રાથમિકતા આપી તથા સારવાર વિકલ્પો દર્દીને પરવડે એવા કરવા માટે કામ કરવા અમે પ્રતિબદ્ધ છીએ, જેથી દેશભરમાં કેન્સર સંભાળમાંના જટિલ અંતરને ભરી રાઢી શકાય. સ્વાસ્થ્ય સંભાળ પ્રદાતાઓને ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ વિકલ્પો આપી તથા ભારતભરમાં દર્દીઓ માટે જીવનની ગુણવત્તા સુધારવા સાથે તેમના ટકી જવાનાં પરિણામોમાં સુધારો કરવો એ દિશામાં આ લૉન્ચ નોંધપાત્ર પગલું છે.

આઈડીએચ1 મ્યુટેશન ભારતમાંના 7-14 ટકા એએમએલ દરદીઓમાં થાય છે, જેના કારણે ટાર્ગેટેડ યંત્રણા આ ઉપગણમાં વધુ સુસંગત બને છે.

આ થૅરેપી એએમએલ તથા કોલેંગિયોકારસિનોમાની સારવારમાં નોંધપાત્ર રોગનિવારક વિકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વાસ્થ્ય સંભાળ વ્યાવસાયિકો માટે, આ ચોકસાઈભરી થૅરેપી એક નવો, અસરકારક વિકલ્પ પૂરો પાડે છે, જે એવા દર્દીઓમાં પરિણામોમાં સુધારો કરી શકે છે, જ્યાં પારંપારિક સારવારોને મર્યાદિત સફળતા મળતી હોય છે. તે  જીવનને વધુ બહેતર બનાવવા અને ભારતમાં કેન્સર સંભાળને અદ્યતન બનાવવા માટે ટાર્ગેટેડ થૅરેપી અને નાવીન્યની ક્ષમતાના લાભોને અધોરેખિત કરે છે, એમ સર્વિયર ઈન્ડિયાના મેડિકલ ઍન્ડ પૅશન્ટ અફેર્સ ડિરેક્ટર ડૉ. પ્રણવ સોપોરીએ જણાવ્યું હતું.

સારવાર સુધીની પહોંચની મહત્તા વિશે વાત કરતા સર્વિયર ઈન્ડિયાનાં કમર્શિયલ ડિરેક્ટર પ્રતિમા ત્રિપાઠીએ જણાવ્યું હતું કેઃ અમારી પ્રાથમિકતા, ભારતભરના દર્દીઓ સુધી થૅરેપીની પહોંચે તથા તે સૌ કોઈ માટે પરવડે એવી હોય એની તકેદારી રાખવાની છે. અવરોધો દૂર કરવા માટે તથા આ મહત્વવની થૅરેપીની સમયસર પહોંચને સુલભ બનાવવા માટે અમે સ્વાસ્થ્ય સંભાળ પ્રદાતાઓ, દર્દી હિમાયત જૂથો તથા નીતિ ઘડવૈયાઓ સાથે સક્રિયપણે સહયોગ સાધી રહ્યા છીએ. આ ભાગીદારીઓના માધ્યમથી અમે સારવાર વિકલ્પોને વિસ્તારવા તથા દર્દીઓનાં જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ આધુનિક થૅરેપીઝ રજૂ કરી, સર્વિયર ઈન્ડિયા ક્લિનિકલ પરિણામોમાં સુધારો કરતી નાવિન્યપૂર્ણ કેન્સર સારવારને આગળ વધારવા તથા દરદીઓનાં જીવનની ગુણવત્તા સુધારવા માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.


[1]