ઘૂંટણનો વા આજના સમયમાં ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ બાબતને સામાન્ય રીતે લેવા કરતા ગંભીર રીતે લેવામાં આવે તો ઓપરેશન નિવારી શકાય છે. વા ના ઘણા પ્રકાર હોય છે.કયા પ્રકારનો વા છે તે જાણી લેવામાં આવે તો તેની સારવાર પણ ચોક્કસ થઈ શકતી હોય છે. વા સામાન્ય રીતે વધતી ઉંમર સાથે સંકળાયેલો છે,પરંતુ કોઈ પણ પ્રકાર ની TRAUMATIC INJURY(અકસ્માત) બાદ પણ થઈ શકે છે. (ઈન્જરી બાદ ફિઝિયોથેરાપી સારવાર ન લેવાનાં કારણે).ફરતો વા પણ ઘણો પ્રચલિત છે જે સમગ્ર શરીર ને અસર કરે છે,જેમાં ઘુંટણમાં પણ તકલીફ થતી હોય છે.
ઘૂંટણનો વા (OSTEOARTHRITIS ) ના ચાર તબક્કા હોય છે. પ્રથમ બે તબક્કા માં વધારે પડતો શ્રમ કરવામાં આવે તો જ તકલીફ થાય છે. જેમકે વધારે પડતી સીડી ચડ ઉતર કરવી, વધારે ચાલવું કે ઉભા રહેવું. જ્યારે ત્રીજા અને ચોથા તબક્કા માં થોડીવાર ચાલવા કે ઉભા રહેવા માં જ દુઃખાવો થતો હોય છે,સીડી ચડ-ઉતર કરવામાં દુખાવો થતો હોય છે.જો પ્રથમ બે તબક્કા માં જ તકેદારી લેવામાં આવે તો ઘૂંટણ નો ઘસારો ત્રીજા – ચોથા તબક્કા માં જતો નથી. તકેદારી એટલે ફિઝિયોથેરાપી. દવા કે ઇન્જેક્શન ઘસારાને આગળ વધતા અટકાવતા નથી જ્યારે ફિઝિયોથેરાપી ઘસારા ને આગળ વધતો અટકાવે છે.
ઘૂંટણ નું ઓપરેશન ત્યારે જ કરાવવું જોઈએ જ્યારે બે હાડકાં એક બીજા ને અડી જાય. જ્યાં સુધી બે હાડકાં એક બીજાને અડે નહીં ત્યાં સુધી ફિઝિયોથેરાપી સારવારથી સુધારો શક્ય છે. ઘૂંટણની લીગામેન્ટ ઇન્જરી અને મેનિસ્કસ ઇન્જરીમાં ફિઝિયોથેરાપીના ક્લાસ – ૪ લેસર, ક્રાયો થેરાપી અને ટેકાર થેરાપી દ્વારા ઈમ્પ્રુવમેન્ટ શક્ય છે. ઉપરોક્ત ફિઝિયોથેરાપી સારવાર લેવાથી પહેલા MRI કરાવ્યો હોય તો પછીના MRI માં સુધારો લાવવો શક્ય છે.ભવિષ્યમાં તકલીફ ન થાય તેને માટે સ્નાયુ મજબૂત કરવાની કસરતો,પ્રોપ્રિયોસેપ્ટિવ ટ્રેનિંગ,સોફ્ટ ટિશ્યૂ રિલીસ અને મોબિલાઇઝેશન કરવામાં આવે છે.
શ્રીમતી ઉલ્હાસબેન ઝવેરી
(સફળ બિઝનેસ વુમન અને આદર્શ નારી)
(ઉં.વ. ૭૪ વર્ષ)
શ્રીમતી ઉલ્લાસ બેન ઝવેરી કે જેઓ દરેક મહિલા ને પ્રેરણા આપે તેવું વ્યક્તિત્વ ધરાવે છે. ગુજરાત નું ગૌરવ અને ખાણી પીણી ના માસ્ટર ચેફ ને ગ્રેડ ૩ ઓસ્ટોઆર્થરિટીસ(ઘૂંટણ નો ઘસારો) ને લીધે ચાલવામાં અને ઉભા રહેવા માં તકલીફ થતી હતી. જેઓએ ૨૦ દિવસની સારવારને અંતે ૯૦% પરિણામ મેળવેલ છે અને ફરીથી કાર્યરત થયેલ છે.સારવારના ૧ વર્ષ બાદ પણ કોઇ જ તકલીફ નથી.તેઓ દુઃખાવા વગર કાર્ય કરી શકે છે.
શ્રીમાન જીતેન્દ્ર ગોસલીયા
(નિવૃત્ત અધ્યાપક શેઠ સી.એન. વિદ્યાલય)
(ઉં.વ. ૭૦ વર્ષ)
મને ઘણા સમયથી ઘૂંટણ અને પગનાં પંજાના વા થી પીડા થતી હતી. ચાલવામાં, ઉભા રહેવામાં, સીડી ચડવા ઉતરવામાં તથા બેસી ને ઉભા થવા માં મને દુઃખાવો થતો હતો. મારાં શેઠ સી.એન. સ્કૂલના વિદ્યાર્થી જેણે અલ્ટિમેટ હેલ્થની સારવારથી સારું થયું હતું એણે મને અહીં મુલાકાત લેવા સૂચવ્યું. મેં અહીં ૧૦ દિવસ ની સારવાર લીધી અને હવે મને કોઈ જ પ્રકાર નો દુઃખાવો થતો નથી અને હવે હું ખૂબ જ સારી રીતે હરી ફરી શકું છું.
More Stories
સીએપીએચઆરએ ચેતવે છે: WHOનું એન્ટી-હાર્મ રિડક્શન વલણ ભારતને અસંતુલિત રીતે નુકસાન પહોંચાડે છે – સાર્વભૌમત્વ, જીવનજરુરિયાત અને જાહેર આરોગ્ય સમતાનો સંકટ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, કલર્સ કલાકારો તેમના માટે યોગનો અર્થ શું છે તે જણાવે છે
સર્વિયર ઈન્ડિયા ભારતમાં રજૂ કરે છે ‘ઈવોસાઈડેનિબ’ (ટિબસોવો®), વિરલ આઈડીએચ1- મ્યુટેટેડ એએમએલ અને કોલેંગિયોકારસિનોમા માટે ઑન્કોલૉજીમાં પોતાની શ્રેણીમાં પ્રથમ ટાર્ગેટેડ થૅરેપી