આશિમા ટાવર, વસ્ત્રાપુરના રહીશો દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમથી શરુઆત કરીને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સિંગિંગ, વેશભૂષા સ્પર્ધા, કેરમ તેમજ ચેસની રમત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોના આયોજનની સાથે સાથે ચેરમેન શ્રી નવનીત નાગ દ્વારા યુનિટી ઇઝ અ પાવરનો સંદેશ પાઠવવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કોઇને આશ્વાસન ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




More Stories
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા અજીત પવારે ‘ટાટા મુંબઈ મેરેથોન 2026’ના
100થી વધુ સંશોધન-પત્રો થયા પ્રસ્તુત, ભારતીય ચિંતન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના દર્શન પર થયો વ્યાપક વિમર્શ
મહિલા એથનિક ફેશનમાં ઉત્કૃષ્ટતા માટે રુંગને ક્વોલિટી માર્ક એવોર્ડ 2026 એનાયત