અમદાવાદ, 10 ઓગસ્ટ, 2025 – કૃષિ ક્ષેત્રમાં અગ્રણી કંપની દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ. દ્વારા અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં ભવ્ય ડીલર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડીલરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) શ્રી એસ.પી. દેશમુખ તથા વિશિષ્ટ અતિથિ તરીકે ડિરેક્ટર (ઇન્ટરનેશનલ બિઝનેસ) ડૉ. એસ. લોકોનાથન હાજર રહ્યા. સાથે જ ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જી.કે. ભગત, રીજનલ મેનેજર શ્રી યોગેન્દ્ર સિંહ, સિનિયર સાયન્ટિસ્ટ (એગ્રોનોમી) ડૉ. મનોજ કુમાર તથા એગ્રો ઇનપુટ વેલફેર એસોસિયેશન, ગુજરાત કૃષકના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ઘનશ્યામભાઈ સાવધારિયાની વિશેષ હાજરી રહી.

મીટિંગ દરમિયાન કંપનીના મુખ્ય પ્રોડક્ટ બૂમ ફ્લાવર માટેની એડવાન્સ બુકિંગ સ્કીમ હેઠળ લકી ડ્રૉ યોજાયો, જેમાં વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા.
કંપની વિશે:
1985માં મદુરાઇ (તમિલનાડુ) ખાતે સ્થાપિત દેવી ક્રોપસાયન્સ પ્રા. લિ. છેલ્લા ચાર દાયકાથી કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા દેશ-વિદેશના ખેડૂતોની સેવા કરી રહી છે. કંપનીનું બૂમ ફ્લાવર ભારતનું પ્રથમ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર (PGR) તરીકે નોંધાયેલ પ્રોડક્ટ છે, જે છેલ્લા બે દાયકાથી ભારત તેમજ 22 દેશોમાં વિશ્વસનીય બ્રાન્ડ તરીકે ઓળખાય છે. હાલમાં કંપની પાસે 18 ભારતીય રાજ્યોમાં મજબૂત વેચાણ નેટવર્ક છે અને તે બાયો સ્ટિમ્યુલન્ટ તથા બાયો ફર્ટિલાઇઝરનો વિશાળ રેન્જ પણ પ્રદાન કરે છે.

More Stories
ડૉ. મિતાલી નાગ, આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘Forever Asha – Eternal Voice’ કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
“બેંગકોકમાં ગુંજ્યો સ્થિર ભવિષ્ય માટેનો નિર્ણાયક સંદેશ : ડો. નઈમ સિરાજુદ્દીન તીરમીઝી એ કહ્યું સ્થિર નિર્ણાયક ભવિષ્ય અને વિકાસ લક્ષ્યો માટે વિશ્વને એક બીજાના સહકારની જરૂર