- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહયોગથી લૉ ગાર્ડનના હેપ્પી સ્ટ્રીટ ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ; પર્યાવરણમિત્ર “બાયોડિગ્રેડેબલ પેન”નું પણ કરાયું લોન્ચિંગ
અમદાવાદ :- પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના દ્રઢ સંકલ્પ સાથે ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વિશેષ સહયોગથી “યુનિક વૃક્ષારોપણ” અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો આજે લૉ ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ખાતે અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અમિત શાહ અને અન્ય જાણીતા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર્સ SP India, કુશલ મિસ્ત્રી, RJ યુવરાજ અને વિધિ શાહ એ પણ ખાસ હાજરી આપી હતી. ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનીલ પુરોહિતે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણમિત્ર “બાયોડિગ્રેડેબલ પેન”નું પણ વિશેષ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે નાગરિકોમાં ગ્રીન લાઇફસ્ટાઇલ અને ઈકો-ફ્રેન્ડલી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરશે.
આ પ્રસંગે ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનીલ પુરોહિતે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમદાવાદને વધુ લીલુંછમ અને સ્વચ્છ બનાવવું એ માત્ર સરકાર કે કોર્પોરેશનની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિક અને સંસ્થાની સામાજિક ફરજ છે. ફિંગરટિપ્સ દ્વારા શરૂ કરવામાં આવેલું 1 લાખ વૃક્ષો વાવવાનું આ મહાઅભિયાન આજના ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં પ્રકૃતિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રકારની પર્યાવરણીય પહેલથી ચોક્કસપણે શહેરમાં શુદ્ધ હવાનું પ્રમાણ વધશે અને આવનારી પેઢીને સ્વસ્થ, સ્વચ્છ તેમજ ટકાઉ વાતાવરણ મળશે.

આ ભવ્ય કાર્યક્રમમાં પર્યાવરણ અને ગ્રીન ઇનિશિયેટિવ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપીને વૃક્ષારોપણના આ સંકલ્પને સમર્થન આપ્યું હતું. વૃક્ષારોપણની સાથે સાથે શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને ઈકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા એ આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો છે.
કાર્યક્રમના અંતે ફિંગરટિપ્સના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનીલ પુરોહિતે ઉપસ્થિત તમામ લોકોનો આ પર્યાવરણલક્ષી મહાઅભિયાનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

More Stories
ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ
અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી
ગુરુગ્રામમાં મેળવેલી ભવ્ય સફળતા બાદ ફુજીફિલ્મ ઈન્ડિયાનો ‘સ્પેક્ટ્રમ ટૂર’ હવે અમદાવાદના આંગણે