તા. ૩૦મી ઓગસ્ટ, રવિવારના રોજ જય સોમનાથ, મણિનગરના 30 વર્ષ અગાઉની બેચના 20 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. વર્ષો બાદ શાળાના પ્રાંગણમાં એકત્ર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે મુલાકાત કરી બાળપણની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે સૌએ શાળામાં વિતાવેલા સુખદ સંસ્મરણો વાગોળ્યા તેમજ શિક્ષકો અને સહપાઠીઓ સાથેના અનુભવોને યાદ કર્યા હતા.
સૌએ એકબીજા સાથે આનંદભેર સમય વિતાવી જૂની મિત્રતાને વધુ મજબૂત બનાવી હતી. સમગ્ર રિયુનિયનનો માહોલ લાગણીસભર અને આનંદમય રહ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ભવિષ્યમાં પણ આવા મિલન સમારોહ યોજવાની લાગણી વ્યક્ત કરી હતી

More Stories
સરદારધામ દ્વારા ૧,૧૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડનીઉચ્ચ શિક્ષણ સહાયયોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ
“15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટી માર્કનું ભવ્ય સન્માન
અટીરાની કોમ્પોઝિટ નવીનતાએ ભરી ઉડાન