May 23, 2025

અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીના દ્વારા ક્યૂરેટ કરાયેલ આર્ટ વર્ક્સ “મનમીત” ના એક્ઝિબિશનનું આયોજન

  •   “એન આર્ટિસ્ટિક સેરેનેડ વિથ લાઈટ ઓફ લવ” પ્રદર્શનમાં દર્શકોને મળશે આત્માને સ્પર્શતી અનુભૂતિ

અમદાવાદ : અમદાવાદ હવે કલાપ્રેમીઓ માટે  મહત્વનું સ્થળ બની રહ્યું છે. દેશના પ્રખ્યાત આર્ટિસ્ટ્સ તો અમદાવાદમાં પોતાના આર્ટવર્ક્સ  પ્રસ્તુત કરતાં  છે, પરંતુ હવે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માટે  પસંદગીનું શહેર બન્યું છે. અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે 5મી મેથી 16મી મે સુધી ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીનાનાં આર્ટવર્ક્સ પ્રદર્શન યોજાશે. વિક્ટોરિયા લાપશીના પોતાના ક્યુરેટોરિયલ ડેબ્યૂ સાથે પોતાના આર્ટ્સ એન આર્ટિસ્ટિક સેરેનેડ વિથ લાઈટ ઓફ લવ “મનમીત”માં પ્રદર્શિત કરશે. આ એક્ઝિબિશન કલાની દુનિયામાં એક નવી અને હ્રદયસ્પર્શી જર્ની રજૂ કરે છે. આ એક્ઝિબિશનનું પ્રિવ્યુ 4થી મેના રોજ યોજાયુ હતું.  આ પ્રસંગે આર્ટ લવર રવિન્દ્ર મારડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, “વિક્ટોરિયા લાપશીનાનાં પેઈન્ટિંગ્સ લાગણીઓ અને ભાવનાઓથી ભરપૂર છે. તેમણે ડાર્ક વોલ ઉપર નિયોન કલર્સથી પેઈન્ટિંગ્સ રજૂ કરી છે જે ખરેખર મોહનીય છે. તેમણે ‘મનમીત’ એક્ઝિબિશન થકી પોતાની જર્ની દર્શાવી છે.”

આ એક્ઝિબિશનમાં આશરે 27 જેટલી પેઈન્ટિંગ્સ એક્ઝિબિટ કરાઈ છે . ઉલ્લેખનીય છે કે, આમાંથી મોટા ભાગની પેઈન્ટિંગ્સ નિયોન કલર્સથી કરાઈ છે, જે અમદાવાદમાં ભાગ્યે જ જોવા મળે છે. 5મી મેથી 16મી મે દરમિયાન કલાપ્રેમીઓ સવારે 11-00 કલાકેથી સાંજના 7-00 કલાક સુધી એક્ઝિબિશનમાં જઈ શકશે. ઉલ્લેખનીય છે કે, આ એક્ઝિબિશનમાં પેઈન્ટિંગ્સના સેલિંગ થકી જે ફાયદો થશે તેનો અમૂક ભાગ મેન્ટલ હેલ્થ માટે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. તેમની પેઈન્ટિંગ્સ પોઝિટિવ એનર્જી પ્રદાન કરે છે.

વિક્ટોરિયા લાપશીનાના પતિ અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચિન્મય પટેલ જણાવે છે કે, “વિક્ટોરિયા એ આર્ટ ક્ષેત્રમાં જ એજ્યુકેશન મેળવ્યું છે અને આ તેમનો મનગમતો સબ્જેક્ટ પણ છે. તેઓ એડવોકેટ ફોર મેન્ટલ હેલ્થ છે અને આંત્રપ્રિનિયોર પણ છે. આ એક્ઝિબિશનમાં આર્ટ પિસીસ, વોલ સ્કલ્પચર્સ, કેનવાસ પેઈન્ટિંગ્સ વગેરે એક્ઝિબીટ કરાઈ છે અને ગુજરાતમાં પ્રથમ વાર ગ્લો ઈન ધ ડાર્ક કૉન્સેપ્ટ સાથે પેઈન્ટિંગ્સ રજૂ કરાઈ છે જે યુવી લાઈટમાં જ શાઈનિંગ કરે છે.”

ઉલ્લેખનીય છે કે આ આર્ટ એક્ઝિબિશનનો સંપૂર્ણ શ્રેય ડૉ. તેજસ પટેલ અને ડૉ. અમન પટેલને જાય છે કે જેઓએ પોતાના પ્રયત્નો થકી આ એક્ઝિબિશન શક્ય બનાવ્યું છે.

વિશિષ્ટ રંગો, આકૃતિઓ અને આંતરિક લાગણીઓથી ભરપૂર આ કૃતિઓ કલાપ્રેમીઓને માત્ર નિહાળવા માટે જ નહિ પરંતુ અનુભવવા માટે પણ આમંત્રિત કરે છે. વિક્ટોરિયા લાપશીનાની આ રચનાઓ જોનારને પ્રથમ નજરમાં જ ગમી જાય તેવી છે.

મનમીતનું સૂત્ર “My eyes fell for what I saw!” — આ એક્ઝિબિશનના માધ્યમથી સાકાર થાય છે, જે જીવનના વિભિન્ન પળોને શબ્દ અને રંગ રૂપે રજૂ કરે છે.

તો આર્ટલવર્સ તમે પહોંચી જજો જોધપુર આર્ટ ગેલેરી ખાતે આ એક્ઝિબિશન નિહાળવા.